વડોદરામાં આજથી શાકભાજીનું વેચાણ નહીં, વેપારીઓએ પોલીસ પર લગાવ્યો આ આક્ષેપ
ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે લોકડાઉન વચ્ચે લોકો વારંવાર ભંગ કરી બહાર નીકળતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ વડોદરા શહેરમાં શાકભાજીના વેપારીઓ દ્વારા પોલીસ દ્વારા માર મારવાનો આરોપ લગાવી શાકભાજી ન વેચવાનો નિર્ણય કરાયો છે.
• વડોદરામાં આજથી શાકભાજીનું વેચાણ નહીં
• પોલીસ માર મારતી હોવાથી વેપારીઓ દ્વારા નિર્ણય
• ટ્રેક્ટર-ટેમ્પોને પરવાનગી હોવા છતા હેરાનગતીના આક્ષેપ
Comments
Post a Comment