અંકોડિયા માં કોરોના ૨ કેસ આવ્યા હોવાની વાત વહેતી થતા સરપંચ ઉલપેશ પટેલ એ ખુલાસો કર્યો કે..............


     અંકોડિયા  ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ માં કોઈ કોરોનાવાયરસ નો કેસ નોંધાયેલ નથી.જે અત્યારે પ્રિન્ટ મીડિયા તથા ઇલેકટ્રોનિક મીડિયા માં પટેલ નિખિલભાઇ ચુનીલાલ તથા વિપુલ ભાઈ ના નામ બતાવવા માં આવે છે જે મૂળ નડિયાદ ના રહેવાસી છે  જેઓની કિડની ફેલ હોવાથી તેઓ ઇન્દુ આયુર્વેદ હોસ્પિટલ અંકોડીયા ખાતે તેઓ આયુર્વેદની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવેલ હતા .જેઓની એડવાન્સમાં જ કિડની ફેલ હતી.શનિવારે તેઓ અંકોડિયા ની હોસ્પિટલ માં આવેલ હતા.


• તેમને સોમવારના રોજ નજીક ની વડોદરા હોસ્પિટલમાં ડાયાલિસીસ માટે લઈ ગયા હતા.ત્યાં નિખિલભાઇ પટેલ નો રિપોર્ટ જે મૂળ રહેવાસી નડિયાદ ના તેઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે હોસ્પિટલ માં વડોદરા લઇ ગયા હતા અને તેઓએ સરનામું અંકોડીયા બતાવ્યું હતું... તે અંકોડિયા ગામથી દોઢ-બે કિલોમીટરના અંતરે આવેલી છે.આ જે નિખિલભાઇ પટેલ અને વિપુલભાઈ જેઓ મૂળ રહેવાસી નડિયાદ ના છે.અંકોડિયા ગામના રહેવાસી નથી.

અને તેઓના હાલ માં રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયેલા છે અને તેઓને હોસ્પિટલ માંથી રજા પણ આપી દીધેલ છે..જેથી આજુબાજુના ગામના અને વિસ્તારના લોકોને જણાવવાનું કે આપણા અંકોડિયા ગામ માં કોઈ પોઝિટિવ કેસ આવેલ નથી જેથી કોઇ એ અફવા ફેલાવવી નહીં  

ઉલ્પેશ પટેલ( સરપંચ અંકોડીયા ) 
પી.આર. પટેલ.. (તલાટી કમ મંત્રી )અંકોડીયા..

Comments

Popular posts from this blog

કોરોનાવાયરસથી સાથે જોડાયેલી research ની અનેક વાતો china કેમ નથી બહાર આવવા દેતું??

શું ચીન માં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ હવે ભારતમાં સ્થાપવામાં આવશે? વાંચો અહેવાલ

CM રૂપાણી નો દુકાનો શરૂ કરવાનો નિર્ણય આવનારા દિવસોમાં ૧ મહિનાનાં લોકડાઉન પર પાણી ફેરવી શકે?